નારી ચેતના વિશે – મધુમતી મહેતા

By heenaparekh  

એક યુગ ઢંઢોળવામાં લાગશે

પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે

 .

કાલ માગી’તી ધરા પાસે જગા

આજની સીતા જવાબો માગશે

 .

પાર કરશે લક્ષ્મણી રેખા અને

એ જ રાવણને પછી સંહારશે

 .

ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં

એ દુ:શાસનના જ હાથો વાઢશે

 .

ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી

ખોખલી મરજાદ સર્વે ત્યાગશે

.

પલ્લવિત કરશે નવું જીવન અને

એક નવયુગમાં સમયને સ્થાપશે

 .

( મધુમતી મહેતા )

Share

3 Comments

  1. Posted November 29, 2011 at 9:30 am | Permalink | Reply

    ખુબ જ સરસ રચના

    મિત્રો,
    ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
    છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
    મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
    આપના આગમનની પ્રતિક્ષાએ
    – કુમાર મયુર –

  2. Posted November 29, 2011 at 1:29 pm | Permalink | Reply

    મને આનો સંપૂર્ણતયા અનુભવ છે…સાવ સાચી વાત…

  3. usha
    Posted November 30, 2011 at 10:19 am | Permalink | Reply

    nice heenaben

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME