ચકચૂર થઈને – ચંદ્રેશ મકવાણા

ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં

જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં

 .

દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું

હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યાં

 .

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી

વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યાં

 .

ના તો રડી શકી ના જરા એ હસી શકી

કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં

 .

બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા

ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં

 .

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી

મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યાં

.

( ચંદ્રેશ મકવાણા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.