પ્રભુ પધાર્યાની નિશાની – સંત તુકારામ

By heenaparekh  

.

પ્રભુ પધાર્યાની નિશાની, જેને ઘેર એ આવે

ઘરબારવેવાર એના વિખેરાઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, ધનોતપનોત નીકળી જાયે

સંસારની માયા થકી જણ વેગળો થઈ જાયે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, જંજાળે ભેરવાવા ના દે

દેન છે, મમતાના પાશે બંધાવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, વાણીને અટવાવા ના દે

અ-સતનો મેલ જિહ્વાએ ચોંટવા ના દે

 .

પ્રભુ પધાર્યાની નિશાની, માયાજાળ તોડાવી દે

જાતને સકળ જગતથી દૂર કરી દે

 .

જુઓ તો, મુજ ઘરે ઠોકિયો કેવો પડાવ

તુકાને ઠેકાણે એના સઘળા અણસાર

 .

( સંત તુકારામ, અનુ: અરુણા જાડેજા )

 .

[તુકારામ ગાથા ક્રમાંક – ૩૪૪૬]

Share

One Comment

  1. Posted December 9, 2011 at 4:03 pm | Permalink | Reply

    સરસ

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME