તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા

By heenaparekh  

કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે

તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે

 .

શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ !

બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે

 .

છોડી દે સારવાર, છોડ માવજત બધી

આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે

 .

ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર

દેરું અપૂજ પૂજ, તને કોઈ નહિ કહે

 .

ગમતી બધીયે વાત સવિસ્તર કહી જશે

આઘેથી કોઈ ગૂંજ, તને કોઈ નહિ કહે

 .

( સુરેન્દ્ર કડિયા )

Share

One Comment

  1. Posted December 18, 2011 at 1:48 pm | Permalink | Reply

    તું તો કહીશ ને મને? ભલે બીજું કોઈ કઈ નહિ કહે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME