તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા

કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે

તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે

 .

શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ !

બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે

 .

છોડી દે સારવાર, છોડ માવજત બધી

આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે

 .

ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર

દેરું અપૂજ પૂજ, તને કોઈ નહિ કહે

 .

ગમતી બધીયે વાત સવિસ્તર કહી જશે

આઘેથી કોઈ ગૂંજ, તને કોઈ નહિ કહે

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

3 replies on “તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.