વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ

.

વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે;

પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ

વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,

એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ… અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;

ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;

બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share this

6 replies on “વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ”

  1. હિનાબેન,
    જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદર અને મનનીય રચના શેર કરવા બદલ ધન્યવાદ ! માનવી ણે પોતાના પણાનો એહસાસ ક્યારે ક્યારે થવો જોઈએ તેની સુંદર વાત રચના દ્વારા કહી છે..

  2. હિનાબેન,
    જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદર અને મનનીય રચના શેર કરવા બદલ ધન્યવાદ ! માનવી ણે પોતાના પણાનો એહસાસ ક્યારે ક્યારે થવો જોઈએ તેની સુંદર વાત રચના દ્વારા કહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.