.
વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે;
પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.
.
બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ
વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.
.
જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,
એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.
.
લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ… અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;
ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.
.
આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;
બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.
.
( જિતેન્દ્ર પ્રજાપતિ )
ખુબ જ સરસ
ખુબ જ સરસ
હિનાબેન,
જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદર અને મનનીય રચના શેર કરવા બદલ ધન્યવાદ ! માનવી ણે પોતાના પણાનો એહસાસ ક્યારે ક્યારે થવો જોઈએ તેની સુંદર વાત રચના દ્વારા કહી છે..
હિનાબેન,
જિતેન્દ્ર પ્રજાપતિ ની સુંદર અને મનનીય રચના શેર કરવા બદલ ધન્યવાદ ! માનવી ણે પોતાના પણાનો એહસાસ ક્યારે ક્યારે થવો જોઈએ તેની સુંદર વાત રચના દ્વારા કહી છે..
Nice One.
Nice One.