લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

By heenaparekh  

.

૧.

ટોળું

 .

પ્રત્યેક વૃક્ષ

અનાયાસે

સ્થિતપ્રજ્ઞ હોય છે.

તેથી

વૃક્ષોનાં સમૂહને

ટોળું

ન કહી શકાય.

 .

૨.

વિમુખ

 .

સવારે

જેનું મુખ

સૂરજ તરફ નહોતું,

એ સૂરજ્મુખીનું ફૂલ

મારાઘરની

ફૂલદાનીમાં હતું !

 .

૩.

મોહતાજ

 .

રસ્તાની

લાચારી તો જુઓ,

પોતે ક્યાંય

જવા માટે છે, કે

પાછા વળવા માટે ?

એનો આધાર તેણે

પસાર થનાર પર

રાખવો પડે છે !

 .

૪.

સુખ

 .

અજવાળું

ખરીદી શકાતું હોત,

તો ધનવાનો

છેવટે તરસતા હોત

અંધારું ખરીદવા માટે !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

Share

One Comment

  1. Posted February 2, 2012 at 7:12 pm | Permalink | Reply

    Nice One all are.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME