લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

.

૧.

ટોળું

 .

પ્રત્યેક વૃક્ષ

અનાયાસે

સ્થિતપ્રજ્ઞ હોય છે.

તેથી

વૃક્ષોનાં સમૂહને

ટોળું

ન કહી શકાય.

 .

૨.

વિમુખ

 .

સવારે

જેનું મુખ

સૂરજ તરફ નહોતું,

એ સૂરજ્મુખીનું ફૂલ

મારાઘરની

ફૂલદાનીમાં હતું !

 .

૩.

મોહતાજ

 .

રસ્તાની

લાચારી તો જુઓ,

પોતે ક્યાંય

જવા માટે છે, કે

પાછા વળવા માટે ?

એનો આધાર તેણે

પસાર થનાર પર

રાખવો પડે છે !

 .

૪.

સુખ

 .

અજવાળું

ખરીદી શકાતું હોત,

તો ધનવાનો

છેવટે તરસતા હોત

અંધારું ખરીદવા માટે !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

Share this

2 replies on “લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.