ઉત્સવ – વિંદા કરંદીકર

By heenaparekh  

.

આજનો દિવસ મને ઉજવવા દો !

આજે આર કે. લક્ષ્મણે લખી

આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે

કચરાના ઢગલા અહીંથી ખસેડશે

તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો !

કચરામાંથી અન્ન ઉઠાવીને

જીવંત રહેવાનો હક

આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો ?

તેમ ન હોય તો

સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં

આજનો દિવસ મને ઉજવવા દો !

 .

( વિંદા કરંદીકર )

Share

One Comment

  1. Posted March 19, 2012 at 10:09 pm | Permalink | Reply

    માર્મિક વાત સાથેની સુંદર રચના !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME