પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

Share this

4 replies on “પ્રેમ – ઓશો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.