.
ક્ષીણ ભલે હોય મારો સ્વર
પણ
નિર્બળ નથી મારો નિર્ધાર
.
મારા માટે હોય એ
સ્નેહ વગર વધુ સરળ
.
અલૌકિક છે આકાશ
વહે છે પર્વતીય પવન
અને
મારા વિચારો છે પવિત્ર
.
મારી રાત્રીની રખેવાળ
અનિદ્રા
વિહરે અન્યત્ર
હું ન સેવું બુઝાયેલા તાપણાં સામે
અને
ટાવરની ઘડિયાળનો અણિયાણો કાંટો
જણાતો નથી મૃત્યુના તીર સમો
.
અતીત કેવો શક્તિહીન થાય હૃદય પાસે !
.
મુક્તિ છે હાથવેંતમાં
હું માફ કરું છું બધું જ
.
લહેરાતા સૂર્યકિરણ પર મારું ધ્યાન
ભીની આ પ્રથમવેલી વસંતની
.
( અન્ના આખ્માતોવા, અનુ. અવિનાશપારેખ )
.
મૂળ રચના : રશિયન
હિનાબેન,
હકીકત છે કે જો અતીત આપણું ક્લીયર ના હોય તો મૃત્યુ સમયે તે સામે જ મંડરાતું હોય છે, અને તે જીવને છોડતું નથી.
સુંદર રચના !
હિનાબેન,
હકીકત છે કે જો અતીત આપણું ક્લીયર ના હોય તો મૃત્યુ સમયે તે સામે જ મંડરાતું હોય છે, અને તે જીવને છોડતું નથી.
સુંદર રચના !