હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર

.

અંદરનું

અંદર આવેલું, અંદરની બાજુનું

મારું આંતરિક કદાચ

પગથિયાં વગરનું છે.

કદી હું એમાં જઈ શક્યો નથી.

કોઈ સદી એવી નથી કે

મેં

ટકોરા ન માર્યા હોય.

મને લાગે છે કે અંદર કોઈ હોય

તો

તે

સાંભળતો નથી.

એને હાથ હશે ? પગ હશે ?

એને નહિ થતું હોય મન બહાર આવીને

મને મળવાનું.

હશે ખરો કોઈ અંદર ?

 .

( લાભશંકર ઠાકર )

Share this

6 replies on “હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.