તાપણી – મણિલાલ હ. પટેલ

.

આપણે નહીં કરેલા ગુન્હાઓની શિક્ષા

આપણને જ શા માટે થાય છે ?

વસંત બેસે છે તોય

આપણને તો ઉઝરડા જ મળે છે

મૉલ બનેલાં આપણાં ખેતરોમાં પછી

આપણે ઉગાડી શકતા નથી મનગમતાં શમણાં

આંગણાના ઝાડની ડાળે-માળે

બેસીને આપણે ગાઈ શકતા નથી લીલાશને

ખાઈ શકતા નથી હક્કનો રોટલોય નિરાંતે !

 .

જે હાથે બાંધ્યા મોલ ને ચણ્યા મિનારા

એ તો પામ્યા છે ગામવટો-ઘરવટો

આપણે તો હતા પતંગિયાં રમાડતી

કેસીઓના જીવ

સડકોની સુંવાળી સોબત સૉળ બની ગઈ

આપણ તો ‘વળતાં પાણી’ના વારસદાર છીએ

નિ:સહાય દેખવું ને દાઝ્યા પર દાઝવું

એ જ આપણી નિયતિ !

 .

તો ય ક્યારેક પુછાઈ જાય છે –

કોના ગુન્હાઓની શિક્ષા થાય છે આપણને

કિયો ઘાંચી

અવળી ઘાણીએ પૂરીને તેલ કાઢે છે આપણું ?

આપણું હોવું તો કાયમનું

ધગધગતું તાપણું…

 .

( મણિલાલ હ. પટેલ )

Share this

4 replies on “તાપણી – મણિલાલ હ. પટેલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.