તલસાટ – પરાજિત ડાભી

By heenaparekh  

 

.

લાગણીઓ માટે તરફડતા એક તરસ્યા માણસનો તલસાટ મેં જોયો.

એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

એને પરવાળો પણ પથ્થર લાગ્યો.

તો પથ્થર આખો ઈશ્વર લાગ્યો.

એણે એવું રેતીનું રણ પીધું કે,

પછી જળ પીવાનો ડર લાગ્યો.

 .

એનો વાંક માત્ર એટલો કે ફૂલોને છોડી કાંટા પાછળ મોહ્યો.

 એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

એને ભૂલોનો એહસાસ નથી પણ,

એનાં ઘરમાં હવે અજવાસ નથી પણ,

એનાં પગ છે ખુલ્લા, બળતા રણની રેતી ઉપર,

એની સામે લીલું લીલું ઘાસ નથી પણ.

 .

એણે ઝાંઝવાનાં જળથી એનો આખ્ખો જન્મારો છે ધોયો.

 એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

( પરાજિત ડાભી )

Share

One Comment

  1. Posted June 11, 2012 at 5:38 pm | Permalink | Reply

    સુંદર રચના !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME