ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી

.

એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,

દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે

ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.

 .

આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,

મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,

પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,

ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,

પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.

.

મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,

શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.

 .

( ખલીલ ધનતેજવી )

Share this

3 replies on “ક્યારે પાછા આવશે – ખલીલ ધનતેજવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.