.
એકલા છોડી ગયા તે ક્યારે પાછા આવશે,
દૂર જઈ ભૂલી ગયા તે ક્યારે પાછા આવશે.
.
જે તરસ લઈને ફરે છે, એ કિનારે આવશે
ઝેર જેવું પી ગયા તે તે ક્યારે પાછા આવશે.
.
આ ધરા ફણગાશે, લીલીછમ ફરી થાશે કદી,
મૂળથી ઊખડી ગયા તે ક્યારે પાછા આવશે.
.
જે થયા પરલોકવાસી, રોઈ નાખ્યું એમનું,
પણ ફક્ત રૂઠી ગયા તે ક્યારે પાછા આવશે.
.
દૂરથી પાછા ફરે એ સ્હેજ મોડા પણ પડે,
ઉંબરે અટકી ગયા તે ક્યારે પાછા આવશે.
.
વૃક્ષ ધરખમ છે ને એને કૂંપળો ફૂટશે નવી,
પાંદડાં તૂટી ગયાં તે ક્યારે પાછા આવશે.
.
મેં ખલીલ આવ્યા ગયાની નોંધ પણ રાખી નથી,
શી ખબર ઊઠી ગયા તે ક્યારે પાછા આવશે.
.
( ખલીલ ધનતેજવી )
સુંદર રચના !
સુંદર રચના !
સુંદર રચના !