.
હું ગૌતમ નથી
પણ જ્યારે હું મારા ઘરની બહાર નીકળ્યો
ત્યારે મને હતું
કે હું મારો પોતાનો તાગ લઈશ-
હું પણ વૃક્ષની છાયામાં બેસીશ
મારા પર પણ પ્રબુદ્ધત્વનો ઉદય થશે
.
પણ મારી સાથે
શરીરની આગ સળગતી હતી
ઘરની બહાર પવન સખત ફૂંકાતો હતો
જ્વાળાઓ વધુ ને વધુ તેજ થતી હતો
અને પ્રત્યેક વૃક્ષ બળી બળીને ખાખ થઈ ગયું
હવે હું વનમાં એકલો
માત્ર મારા પડછાયા સાથે
અને પડછાયાના પણ પડછાયા સાથે ભમું છું
ચારેબાજુ નરી શૂન્યતા છવાઈ ગઈ છે
.
( ખ્યાલીલુર રહેમાન આઝમી, અનુ. સુરેશ દલાલ )
.
મૂળ રચના : ઉર્દૂ