આ સૂર્યોદય – સુરેશ દલાલ

.

આ સૂર્યોદય, આ પ્હાડ, નદી, ઝરણ, સમુદ્ર

પસાર થતાં માણસો

આમાંનું કશુંયે મને મિથ્યા નથી લાગતું.

નથી લાગતો હું પણ મને મિથ્યા

આ બધું જ સત્ય છે.

જે દેખાય છે તે બધું જ સત્ય.

દેખાય છે ફૂલ

અનુભવાય છે ફોરમ.

ફોરમ ભલે દેખાતી ન હોય.

 .

જે કૈં નથી દેખાતું

તેનું હોવાપણું પરમસત્ય.

 .

મારે માટે કશું જ મિથ્યા નથી

જન્મ, મરણ, સ્મરણ કે વિસ્મરણ.

રૂપ કે અરૂપ

બધે જ ઈશ્વરનું સ્વરૂપ.

સમય કે કાળ

કશુંજ મિથ્યા નથી.

‍ॐ સત્યમ શરણં ગચ્છામિ !

 .

(સુરેશ દલાલ)

 .

૧૫.૦૯.૨૦૦૩

Share this

2 replies on “આ સૂર્યોદય – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.