.
મને મારો રસ્તો વ્હાલો લાગે છે,
કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.
મને કવિતા પ્રિય છે,
કારણ કે હું રસ્તાની વચોવચ રહ્યો છું.
.
અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ :
તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે
કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.
.
દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે
અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.
.
હું નકશાનો માણસ નથી
રસ્તાનો માણસ છું
એટલે ચાલ્યા કરું છું.
.
ચાલવાની મારી રીત જુદી છે.
ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું
તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથી.
.
આંસુને જોયા પછી ક્યારેક
મારામાં સંતાડી દઉં છું હું નદીને
અને ઝરણાને જોયા પછી
પર્વતના મૌનને ક્યારેક
મારામાં બંદીવાન કરું છું.
.
( સુરેશ દલાલ )
સુરેશ દલાલ ની સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !
સુરેશ દલાલ ની સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !