બીલીપત્ર – મનસુખલાલ ઝવેરી

૧.

આ સાંજરે ઉદય શો અહીં સૂર્ય કેરો

કે એહનાં કિરણના બસ સ્પર્શમાત્રે

મારાં વિષાદ, કડવાશ, વિરાગ કેરાં :

ઊડી ગયાં ધુમ્મ્સ ! ને

ભૂગર્ભમાં ક્યહિંય ડૂકી ગયેલ પેલી

સૌએ સજીવ થઈ ગૈ સરવાણી સામટી !

ગાઈ રહ્યું વિહગ ગીત ગળું ભરી ભરી !

 

૨.

તારી આંખે અજબ ભર્યું આ શું ય કે

આ શું તેણે

ખેંચી મારા મહીંથી મુજને,

મૂકી દીધો અનન્તે !

તું દ્વાર મારું અમરત્વનું :

સ્પર્શ તારે

મારો ગયો મરણનો થઈ પાશ ઢીલો !

 

૩.

તારી આંખમાં એવું કયું સંગીત ભર્યું છે

કે તે મારા અહંના નાગને

એના દરમાંથી બહાર ખેંચી કાઢે છે :

ને પોતાને તાને તાને

બંકિમ છટાથી ડોલાવીને,

વિષધરને બનાવી દે છે સુન્દર !

 

( મનસુખલાલ ઝવેરી )

Share this

2 replies on “બીલીપત્ર – મનસુખલાલ ઝવેરી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.