તંબૂર મારો તાર-તૂટલો – ચંદ્રકાંત શેઠ

તંબૂર મારો તાર-તૂટલો  એ લઈને ક્યાં ફરું ?

અંદર ઊઠી રણઝણ એને સુણાવવા શું કરું ?

.

કોણ ઓટલો, કોણ રોટલો

મને આપવા આવે ?

કોણ પાઈ જલ શીળાં મીઠાં

મારી તરસ બુઝાવે ?

ખાલી ખોબે કેમ કરી હું સૌના ખોળા ભરું ?

.

ભીતર જેવાં ફૂલ ફૂટતાં

તુરત બધાં કરમાતાં;

મૂળિયાં મારાં ઊંડે ઊંડે

ખારા જળે ખવાતાં ?

ઠૂંઠો વડા હું, કેમ છાયડાં સૌના માથે ધરું ?

.

ધાન વિનાની ઘંટી ઘૂમે,

એમ જ હું પણ ઘૂમું;

ઉજ્જડ ચહેરે કેમ કરીને

લીલુંછમ હું ચૂમું ?

તરડાયેલું તળિયું લઈને કયા તળાવે તરું ?

.

( ચંદ્રકાંત શેઠ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.