છું કે નહિ ? – લાભશંકર ઠાકર

અંધકારમાં

દીપ પેટાવું છું છતાં

મને કેમ દેખાતો નથી ?

કોણ ?

હું.

તું નથી ?

મારે એ જ જાણવું છે કે-

હું

છું કે નહિ ?

આ કોણે આપ્યો જવાબ ?

મેં.

તેં ?

હા, તારા નિત્ય નકારે.

તો મારો હકાર ક્યાં છે ?

તે નથી.

એટલે ?

તું નથી.

તો આ ભીતરની ભીતરમાં

છું-છું-છું-છું એવો…

એવો…અવાજ કરે છે કોણ ?

ઈચ્છના પિચ્છ ફફડાવતું

કલ્પાયન તારું.

 .

( લાભશંકર ઠાકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.