ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત

.

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

ઘણાં મિષે કહાનાને ઝાઝાં નખરાં કરવા દીધાં,

જાણી જોઈને અમે અમારાં વસ્ત્રો હરવા દીધાં !

એ ભોળાએ માન્યું, કે એ મેઘ અમે સૌ ચાતક,

અમે રાસ રમ્યાં હતાં, એ હતું અમારું નાટક !

ઉદ્ધવજી ! કોઈ સાથ વિના જો, સ્વસ્થ ચાલીએ;

અમે ગબડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

હતાં જાણતા કે કપટીની કેવી હોય છે પ્રીત,

જશે નીકળી મોવાળો, ધર્યું રહેશે નવનીત !

થાય ઘણું : જઈને મથુરામાં રોજ પીટાવું દાંડી,

કરો ભરોસો સઘળાંનો, બસ એક કૃષ્ણને છાંડી !

ઉદ્ધવજી ! કોઈ માતવછોયાં બાળક સાથે

અમે ઝગડતાં નથી !

ઉદ્ધવજી ! કહેજો એને, કૈં તને શોધવા

અમે રવડતાં નથી !

 .

( વીરુ પુરોહિત )

Share this

5 replies on “ઉદ્ધવ ગીત – વીરુ પુરોહિત”

  1. ” ઉદ્ધવજી ! કોઈ માતવછોયા બાળક સાથે અમે ઝઘડતા નથી ! ”

    . . . આ પંક્તિ તો બસ . . .

  2. ” ઉદ્ધવજી ! કોઈ માતવછોયા બાળક સાથે અમે ઝઘડતા નથી ! ”

    . . . આ પંક્તિ તો બસ . . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.