મંદિર મારા મનમાં ને મસ્જિદ મારા મનમાં
દેવળ હોય કે હોય દેરાસર : મારી ક્ષણેક્ષણમાં
.
આકાશને તો હોતો નથી
કોઈને કોઈનો ભેદ
ઈંટમાં કદી હોતો નથી
કોઈનો પ્રભુ કેદ
.
હરખ-શોકના હાંસિયા એ તો આપણા પાગલપનમાં
મંદિર મારા મનમાં અને મસ્જિદ મારા મનમાં
.
નદી કોઈને ના કહે નહીં
ફોરમને નહીં પાળ
આપણે મારુંતારું કરી
ભોગવીએ જંજાળ
.
પ્રાર્થના, બંદગી, નમાજ એ તો રસ્તા ત્રિભુવનના
મંદિર મારા મનમાં અને મસ્જિદ તારા મનમાં.
.
( સુરેશ દલાલ )
સરસ !
સરસ !
સરસ
સરસ