ના તાજ કે ન તખ્ત, ઈજ્જત અલોપ છે,
કિલ્લા ઉપર કટાયેલી એ કોની તોપ છે.
.
રણનો કબીલો એ પછી હિજરત કરી ગયો,
આ ઝાંઝવાના ગામમાં શેનો પ્રકોપ છે.
.
મારા સ્મરણની વીંટી મેં આપી છે તે મહીં,
ધાતુ છે લાગણીની ને ઉર્મિનો ઓપ છે.
.
મીઠા સ્વરોમાં વાંસળીએ કાનમાં કીધું :
જમના કિનારે વાટ જોતો કોઈ ગોપ છે.
.
છઠ્ઠીના લેખમાં જ વિધાતાએ લખ્યું કે,
તારા જીવનની વારતામાં ઘટનાલોપ છે.
.
( એસ. એસ. રાહી )
સુંદર રચના !
સુંદર રચના !
I like this poem .
congratulation to Mr. S.S.Rahisaheb.
I like this poem .
congratulation to Mr. S.S.Rahisaheb.