હું તારી સાથે નથી
એટલે જ કદાચ હું તારી ખૂબ ખૂબ પાસે છું.
વિરહને ઓઢીને હવે ચાલતો નથી.
વિરહ તો આકાશ થઈને વ્યાપ્યો છે.
એમાં તારી સ્મૃતિના વાદળ બંધાય છે, વીખરાય છે
ને ક્યારેક હોય છે વાદળ વિનાનું આકાશ.
સ્મૃતિ વિનાનો વિરહ
એટલે આકાશ.
અનંત આકાશની છાયામાં
હું બેઠો છું.
દર્પણ થઈને ફેલાયેલો સમય
પ્રતિબિંબ જોવાની મન ફરજ પાડ્યા કરે છે.
હું કશું જ જોતો હોઉં એમ જોયા કરું છું.
મને, આકાશને, વાદળને, હવાને, સમયને, તને !
.
( સુરેશ દલાલ)