વાદળ થઈ હું આવ્યો છું ને તું કે’ છે ‘હું ઘેર નથી’,
આ વખતે જો ના પલળ્યો તો તારી સ્હેજે ખેર નથી.
.
હશે દીવાલો જૂની ઝર્ઝર, પણ ફળિયાનાં ફૂલ જુઓને !
મારું ઘર છે મારા જેવું, મ્હેલ નથી ખંડેર નથી.
.
તારી દીધેલ ઉદાસીઓ પણ દીકરી જેવી વ્હાલી છે,
સ્મિત અને આંસુની વચ્ચે મારે સ્હેજે ફેર નથી.
.
સૌના ખિસ્સા ભરેલ છે, પણ હૃદય બધાના ખાલી છે,
અહીંયા સૌને ખુદની સાથે બીજું તો કંઈ વેર નથી.
.
કોઈ કરગરતું ઈશ્વરને તો કોઈ કરગરતું કિસ્મતને,
કોણ અહીંયા એવું છે કે જે સ્હેજે ઘૂંટણભેર નથી ?
.
( અનિલ ચાવડા )
મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?
એક બિન-કવિ તરફથી , 🙂
મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?
એક બિન-કવિ તરફથી , 🙂
મુસીબતોના માવઠા તો આવતા જ રહેશે , પણ શું કરવી આપણે લીલા લ્હેર નથી ?
એક બિન-કવિ તરફથી , 🙂
અનિલભાઈની ખૂબજ સુંદર અર્થ સૂચક રચના !
અનિલભાઈની ખૂબજ સુંદર અર્થ સૂચક રચના !