…મળે – ખલીલ ધનતેજવી

એક એવો માનવી સધ્ધર મળે,

જેના સરનામે મને ઈશ્વર મળે.

.

વામણા લોકોની વસ્તીમાં મને,

ક્યાંથી મારા માપની ચાદર મળે.

 .

કોઈની સામે ધરું છું હું આયનો,

ને અચાનક સામેથી પથ્થર મળે !

.

ચાલને દીવો હવે સળગાવીએ,

વાયરાને પણ જરા અવસર મળે.

 .

જે નગરમાં એ રહે છે ઠાઠથી,

એ નગરમાં નાનુંસરખું ઘર મળે.

 .

જે સતત અપમાન બીજાનું કરે,

એય ઈચ્છે માન કે આદર મળે !

 .

ચલ ખલીલ આ પગનાં છાલાં ફોડીએ,

શક્ય છે, એમાંથી પણ અત્તર મળે.

 .

( ખલીલ ધનતેજવી )

Share this

3 replies on “…મળે – ખલીલ ધનતેજવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.