ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ?

દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ !

સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ;

નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ !

ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

વૃક્ષ નહીં તો શોભા શી છે પથરાતી વેલીની ?

વીણ માધવ તો કોણ ઉઘાડે સાંકળ આ ડેલીની ?

સૂર્ય વિના ના હોય જ, ઉદ્ધવ ! પ્રકાશ પણ ચંદાનો;

કૃપા કરીને સૂચવો યુક્તિ, ગોકુળની નંદાનો !

કરત મથુરા પર ચકરાવા, મળી હોત જો પંખ !

ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.