ન આવ્યો – ભગવતીકુમાર શર્મા

સૂનકારથી સાદ ન આવ્યો;

મને મોર પણ યાદ ન આવ્યો.

 .

મેલીને મરજાદ ન આવ્યો;

આંખોમાં વરસાદ ન આવ્યો.

 .

પરદો તો વેળાસર ઊઘડ્યો;

યાદ મને સંવાદ ન આવ્યો.

 .

કાસદ થઈ આવ્યાં પારેવાં;

પણ અક્ષર એકાદ ન આવ્યો.

 .

સળંગ સૂત્રતા શી જળવાઈ !

દુ:ખોમાં અપવાદ ન આવ્યો.

 .

કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;

કેમ મને અવસાદ ન આવ્યો.

 .

કંઠ શુષ્કને કાન ના સરવા;

એક અનાહત નાદ ન આવ્યો.

.

( ભગવતીકુમાર શર્મા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.