ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?

પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !

દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;

ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !

 .

કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

 .

ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;

ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !

રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;

નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !

.

પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !

 .

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.