તે દિવસથી
ગામે-ગામ,
ચોરાહે-ચોરાહે,
હોળીએ-હોળીએ,
ભટકું છું.
અંધારી રાતનાં પીછોડો ઓઢી
હોળીની રાખેય ફંફોસું છું,
ને શોધું છું,
હોળિકાની ઊડી ગયેલી
વરદાની શાલ
જેથી
નારાયણના નામે, નારાયણના વિશ્વાસે
જીવનની આગમાં કૂદી પડેલાં
નારાયણને પણ ભૂલાઈ ગયેલા,
પ્રહલાદોને
આગની જ્વાળાથી,
આગની જલનથી
રક્ષી શકાય.
( સુચિતા કપૂર )