હરિને આંગણ – જગદીશ ઉપાધ્યાય

મેં ધાર્યું એવું નો’તું હરિવરને ત્યાં કાંઈ

ઘર, આંગણ ને ગાય હતાં; ગઈ એમાં વાત સમાઈ.

 .

નો’તી દેવસભા કે નો’તા દેવપરીનાં નર્તન,

ઝાડ પરે પારેવાં ઘૂ… ઘૂ… કરતાં’તાં બે કીર્તન,

હરજી દોડી ભેડ્યાં; રોમે ખીલી ગઈ વનરાઈ.

 .

મોર ટહુક્યા ભીંતે ભાંગી સરગાપરની ભ્રમણા,

લખમીજીએ હરખાતાં ઓસરીએ લીધા દ:ખણા,

ખેમ કુશળ જગનાં પૂછ્યાં કંઈ પાથરતાં ચટાઈ.

 .

( જગદીશ ઉપાધ્યાય )

 

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.