પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

સ્વધર્મ,

સહજ, સત્ય સંકલ્પ

અને સ્નેહ સભર

ધારાએ કલ્યાણ કર્મના

શિવલીંગની પૂજા

એ જ સ્વધર્મ.

દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર,

બહુજનહિતાય શ્વાસની સુગંધ

એ જ સ્વધર્મ

કર્મેશ્વરનું રોકડુ રૂપ

એ જ સ્વધર્મ !

 

તું દ્રષ્ટિ, દર્પણ અમે !

 

(૨)

શ્રદ્ધા,

‘થાઓ’ એવી પ્રાર્થના

‘થયુ’માં પડઘાય

એ જ શ્રદ્ધા !

સંકલ્પ અને સિદ્ધિ

વચ્ચેના શૂન્ય અંતરના

ગતિ વિસ્ફોટનું નામ શ્રદ્ધા

કર્તાપણાના નિરસને,

સર્વેશ્વરની સર્વોપરિતાનું

સાક્ષીભાવે પૂજન

એ જ શ્રદ્ધા-સાક્ષાત્કાર !

 

તું સાઈ, શરણાગત અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.