પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ત્યાગ,

આવી મળેલુ છૂટે

એ જ નહીં પણ મેળવવાના

વલખા છૂટી જાય એ જ ત્યાગ.

વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે

એ જ જીવંત ત્યાગ.

છોડી શક્યાનો અહંકાર પછી

સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ.

વૈરાગ્યની ગંગામાં નિરાવરણ

પારદર્શક સ્વદર્શન

એ જ ત્યાગ દીક્ષા !

 .

તું અન્ન, ઓડકાર અમે !

 .

(૨)

દીક્ષા,

સ્પષ્ટ સમજણ સાથે સત્ય સંકલ્પે,

સહજ આયાસે સ્નેહની પગથી

ઉપર ગતિ એ દીક્ષા.

દેહદમન કે વ્યવહારની

વાડાબંધીથી દૂર,

સ્વથી સર્વજનાય જોડતો

સ્નેહસેતુ એ જ દીક્ષા.

પ્રેમની પારદર્શકતામાંથી

ઉઠતો અને પ્રસરતો પ્રાકશ

એ જ દીક્ષા, સ્વયમ તેજસ્વી

અને સર્વનો ઉજાસ

એ જ દીક્ષા ધર્મ !

 .

તું તિલક, કપાળ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.