જીવનમાં જે પણ મૂલ્યવાન છે,
પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય,
ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય
કે પરમની પ્રાપ્તિ હોય. એની
શોધ જાતે કરવી પડે છે. એ હાથ
લંબાવીને કોઈની પાસે માગવાની
વસ્તુ નથી. એ આપલેની વસ્તુ
છે જ નહીં એનો આવિષ્કાર જાતે
જ કરવો પડે છે. એને પામવાની
બીજી કોઈ રીત છે જ નહીં.
*
‘સ્વ’નો
સાક્ષાત્કાર કરવા માટે
નિતાંત એકલા હોવું ખૂબ
જરૂરી છે. જે માણસ પોતાની
એકલતાથી ડરતો નથી, પણ
એને બાથ ભરીને પ્રેમ કરે છે
તે પોતાની એકલતામાં કશુંક
મૂલ્યવાન પ્રાપ્ત કરે છે.
.
( સુરેન ઠાકર ‘મેહુલ’ )
સ ર સ,
સ ર સ,