સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’

જીવનમાં જે પણ મૂલ્યવાન છે,

પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય,

ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય

કે પરમની પ્રાપ્તિ હોય. એની

શોધ જાતે કરવી પડે છે. એ હાથ

લંબાવીને કોઈની પાસે માગવાની

વસ્તુ નથી. એ આપલેની વસ્તુ

છે જ નહીં એનો આવિષ્કાર જાતે

જ કરવો પડે છે. એને પામવાની

બીજી કોઈ રીત છે જ નહીં.

*

‘સ્વ’નો

સાક્ષાત્કાર કરવા માટે

નિતાંત એકલા હોવું ખૂબ

જરૂરી છે. જે માણસ  પોતાની

એકલતાથી ડરતો નથી, પણ

એને બાથ ભરીને પ્રેમ કરે છે

તે પોતાની એકલતામાં કશુંક

મૂલ્યવાન પ્રાપ્ત કરે છે.

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

Share this

2 replies on “સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.