જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

કાળી રાતને, વાતને, સદીઓની જમાતને

ચીરીને પ્રકટો.

ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.

હજીયે અમે એના એ જ વિષચક્રમાં

શાણપણની મશાલ લઈને

ભટક્યા કરીએ છીએ

પાગલોનાં પગલાં ગણતા.

 .

યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ

તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી

બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…

કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?

 .

મારી જનમોજનમની પ્રાર્થના છે :

હે સૂર્યનારાયણ પ્રકટો.

 .

( સુરેશ દલાલ )

Share this

2 replies on “જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ”

  1. હીના બેન પારેખ,
    આભાર! યાદ તો કર્યો…ગમ્યું ભીતરમાં.
    સૂર્યનારાયણ તો હમેશાં શાશ્વત છેજ….
    ચક્રગતિ સમજી, ” જે છે તેનો એહસાસ”
    માણી, માની, જાણીની લેવાનો છે અનુભૂતિના સ્તરે
    કેમ ખરુંને.. ? .આ હાજર ક્ષણમાં જીવવાનું જો ફાવી જાય તો ?!
    એવી એક પ્રકારની હથોટી….આવડત કેળવવાની છે.. આપણે સહુએ
    તમે તમરા શબ્દોમાં ” રસાસ્વાદ’ જેવું કરાવી તમારી ભીતર જાગતા ભાવો..ઉત્તી રણઝણ નો શાબ્દિક ચિતાર આપો તો નવા અર્થ..મર્મ પ્રકટે ખરું કે નહીં? વધુ મઝો આવે.. કોઈક .રસજ્ઞ ને..
    -લા’કાન્ત / ૧૩-૫-૧૩

  2. હીના બેન પારેખ,
    આભાર! યાદ તો કર્યો…ગમ્યું ભીતરમાં.
    સૂર્યનારાયણ તો હમેશાં શાશ્વત છેજ….
    ચક્રગતિ સમજી, ” જે છે તેનો એહસાસ”
    માણી, માની, જાણીની લેવાનો છે અનુભૂતિના સ્તરે
    કેમ ખરુંને.. ? .આ હાજર ક્ષણમાં જીવવાનું જો ફાવી જાય તો ?!
    એવી એક પ્રકારની હથોટી….આવડત કેળવવાની છે.. આપણે સહુએ
    તમે તમરા શબ્દોમાં ” રસાસ્વાદ’ જેવું કરાવી તમારી ભીતર જાગતા ભાવો..ઉત્તી રણઝણ નો શાબ્દિક ચિતાર આપો તો નવા અર્થ..મર્મ પ્રકટે ખરું કે નહીં? વધુ મઝો આવે.. કોઈક .રસજ્ઞ ને..
    -લા’કાન્ત / ૧૩-૫-૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.