હું શું કરું ? – પ્રીતમ લખલાણી

ઝરમર ઝરમર

વરસતા આભને જોઈને

અમસ્તા જ

બારી ખોલું છું

અને પછી ઘડીક માટે

વિચારોના વંટોળે ચઢી જાઉં છું…

શું કરું ?

બસ ફક્ત અહીંથી ઊભીને

પેલા મન મૂકીને વરસતા

આભને નિરખ્યા કરું કે પછી

હડી કાઢતો બહાર દોડી જાઉં…

પણ મને દ્વિધામાં જોઈને

મારા વિચારો પર

ખડખડાટ હસતું

કંઈ પણ વિચાર કર્યા વગર

બસ બારીને ઉઘાડી જોઈ

ગઈકાલ સાંજથી

ટૂંટિયું વળીને પડેલું ઘર

દોડી ગયું

હરખ ઘેલા

આભ સંગે

છબછબિયા કરવા !

 .

( પ્રીતમ લખલાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.