પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

નિર્લેપતા,

જલકમલવત જાગૃતિની એરણ ઉપર

ક્ષણ ચૈતન્યના ઘડતા

ઘાટનું નામ નિર્લેપતા

લેતી-દેતીના કિનારા છોડીને

વળગણ વગર વહેતા રહેવાની

મોજ એ જ આનંદ-અનાસક્તિ !

અખંડ, અસ્પર્શ્ય,

અટક્યા કે અથડાયા વગર

અવિરત વહેતી બજરંગી,

મારૂતિ ઓળખનું નામ નિર્લેપતા.

 .

તું વહેતું વ્હાલ, કિનારા અમે !

 .

(૨)

સંતોષ,

પૂર્ણપ્રાર્થના અને

પારદર્શક પુરુષાર્થ પછી

સહજ ઉગતા પુષ્પની

સુગંધનું નામ સંતોષ !

સંતોષની આનંદધારાએ

જે આવી મળે અને ઉછરે

એ અલૌકિક સંબંધ,

શ્રીહરિનો પ્રગટ નિવાસ !

સત્વની અખિલાઈની ઓળખ

એ જ સંતોષ.

શૂન્યે સભરતા એ જ સંતોષ.

 .

તું સ્થિર જે ઈંટ ઉપર, એ ઈંટ અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.