પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી Jun29 (૧) ઔદાર્ય, ઉદારતા એ તો ઊંડાણે, વધુ ઊંડાણે અડીંગો જમાવી દેવાનો ઓચ્છવ ! પ્રશંસા અને પ્રચારની કુંપળ ન ફૂટે એવા સાવ પ્રછન્ન રહી હૃદયે કોળતા અને વધતા વડલાનું નામ ઉદારતા. કર્તાભાવનું સાક્ષીભાવે અવતરણ એજ ઔદાર્ય ! તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે ! (૨) સ્વ-ઓળખ, નિજધામને ઓરડે, આનંદ સમૃદ્ધિની પૂજા એ જ સ્વ ઓળખ, આળસ વગર વહેતા વહેતા થતા વિસ્તારનું નામ સ્વ-ઓળખ. પ્રયત્નપૂર્વક પામવાનું નહીં, પણ જે પડેલું છે તેને પામીને પરમને ચરણે ધરી દેવાની પ્રસાદ પૂજાનું નામ સ્વ-ઓળખ ! તું શ્રેષ્ઠ, શૂન્ય અમે ! ( ડો. ભરતભાઈ મિસ્ત્રી )