પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ઔદાર્ય,

ઉદારતા એ તો ઊંડાણે,

વધુ ઊંડાણે અડીંગો

જમાવી દેવાનો ઓચ્છવ !

પ્રશંસા અને પ્રચારની

કુંપળ ન ફૂટે એવા સાવ

પ્રછન્ન રહી હૃદયે કોળતા

અને વધતા વડલાનું

નામ ઉદારતા.

કર્તાભાવનું સાક્ષીભાવે

અવતરણ એજ ઔદાર્ય !

 

તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે !

 

(૨)

સ્વ-ઓળખ,

નિજધામને ઓરડે,

આનંદ સમૃદ્ધિની

પૂજા એ જ સ્વ ઓળખ,

આળસ વગર વહેતા વહેતા

થતા વિસ્તારનું નામ

સ્વ-ઓળખ.

પ્રયત્નપૂર્વક પામવાનું નહીં,

પણ જે પડેલું છે તેને પામીને

પરમને ચરણે ધરી દેવાની

પ્રસાદ પૂજાનું નામ

સ્વ-ઓળખ !

 

તું શ્રેષ્ઠ, શૂન્ય અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.