પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

મૌન,

અ-મનના અફાટ વિસ્તારે સ્થિર

ચૈતન્યદીપ એ જ મૌન !

પ્રકૃતિના પ્રવાહે આયાસ

વિહીન તરણ

એ જ મૌન.

અનંત સાથે એકાકાર થઈ ગયેલ

અસ્તિત્વનો અનાહત નાદ

એ જ મૌન.

પૂર્ણ પ્રફુલ્લિત શબ્દ પુષ્પનો

નયનરમ્ય, સુગંધીત ગુચ્છ

એ જ મૌન !

 .

તું કીર્તન, કરતાલ અમે !

 .

(૨)

સંસ્કાર,

અનુભવની એરણ અને સમજણના

હથોડે ઘડાયેલ ઘાટના સમગ્ર સૌંદર્યની

ઓળખનું નામ સંસ્કાર.

અંદર જે પડેલું છે તેનો ઉજ્જ્વલ ઉઘાડ

એ જ સંસ્કાર.

કેળવણીની ખેડ, પુરુષાર્થનું પાણી,

સાતત્યના સલીલે અને પ્રેમની માવજતે

અંદરનું સત્વ પાક રૂપે લહેરાય

એ જ સંસ્કાર !

 .

તું વૈભવ, વસ્ત્ર અમે !

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.