પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી Jul11 (૧) મૃત્યુ, અમૃત સરોવરમાં ઝબકોળાઈ નવા નક્કોર થવાની ઘટના એ જ મૃત્યુ ! જન્મ જન્માંતરના અવિરત પ્રવાહે ઓળખ બદલવાની વિરામ ક્ષણ એ જ મૃત્યુ. જિંદગીનું એકમેવ નિશ્ચિત સનાતન સત્ય એ જ મૃત્યુ. . તું અમૃત, અનિત્ય અમે ! . (૨) શબ્દ, જાણભેદુની હાથવગી, હૈયાવગી ઓળખ એ જ શબ્દ. ઊર્મિઓના ઉત્સવનું સાવ સહજ, સરળ આંગણું એ જ શબ્દ. કરણીની એરણ ઉપર શબ્દ ઘડાય એ જ શબ્દોત્સવ ! શબ્દ ચેતનાના ચમકારે જાતને ઓળખી જવાની ‘પાનબાઈ’ રમતનું નામ શબ્દબ્રહ્મ સાક્ષાત્કાર ! . તું અર્થ, અક્ષર અમે ! . ( ડો. ભરતભાઈ મિસ્ત્રી )