પથ્થરોની ટેવ છે – આબિદ ભટ્ટ

પથ્થરોની ટેવ છે  વાગ્યા કરે,

મન ઉપર લેવું નહીં ચાલ્યા કરે.

 .

હોય છે પરિવાર મોટો એમનો,

વૃક્ષ જે પણ ચોતરફ ફાલ્યા કરે.

 .

જિંદગી મારી ગણી ખેતર અને,

આ સમય ત્યાં દર્દને વાવ્યા કરે !

 .

ચાંદની જોવાનો મનસૂબો લઈ,

આંધળો સૂરજ સતત જાગ્યા કરે !

 .

ઘર, કબરને વેંતનું છેટું નથી,

તોય માણસ જોજનો ભાગ્યા કરે !

 .

એક દાડો છોડ તુલસીનો કહે,

સાવ સૂનું બા વિના લાગ્યા કરે !

 .

( આબિદ ભટ્ટ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.