ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરડોલે સૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

કહાનાની આંખોમાં પ્રગટે રાત, ઉષા ને સંધ્યા;

કેટકેટલા રંગોથી કહાનાએ અમને રંગ્યા !

અમે ઘણા બડભાગી ઉદ્ધવ ! માધવ અમને ભેટ્યા;

ભલે વિયોગી થયાં, ભલેને અઢળક દુ:ખો વેઠ્યાં !

 .

પણ દેવોને દુર્લભ એવો રાસ રમાડ્યો રૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

હવે પછીનાં બધાં જનમ ગોપી થઈને અવતરશું;

જમુના તટ, મધુવન, ગોકુળમાં શ્યામ વિના ટળવળશું !

કોઈક યુગે તો પ્રગટ થશે એ ભાળીને ઉત્કંઠા;

એ જ અમારો મોક્ષયોગ હો, એવી છે બસ મંછા !

 .

ઉદ્ધવજી ! માધવ છે જાણે વિણમાખી મધપૂડો !

 .

ફળ એ મીઠાં હોય અતિ, જેને કરડોલે સૂડો !

વિણ માધવ જીવ્યો તેનો છે જનમ અતિશય કૂડો !

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.