કરામત – દિનેશ કાનાણી

તોપખાનામાં સલામત હોય છે

એ જ શાંતિની કરામત હોય છે

.

સ્થાન સૌને ના મળે કૈં સ્વર્ગમાં

એ જગાઓ તો અનામત હોય છે !

 .

પાનખર જેને કહીએ આપણે

વૃક્ષની ઝીણી મરામત હોય છે

 .

એમ લાગે છે હવે આ જીવને

હર ઘડી જાણે કયામત હોય છે

 .

છે પનારો કાવ્ય સાથે દિલ તણો

દોસ્ત ! બાકી તો ખુશામત હોય છે.

 .

( દિનેશ કાનાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.