ગંગાસતી – પ્રણવ પંડ્યા

એકતારાનો મળ્યો છે વારસો, ગંગાસતી

તોય બેધારુ જીવે છે માણસો, ગંગાસતી

 .

રાંક થઈને ર’યા, ન ભક્તિ થઈ છતાંયે, કેમકે

કો’ક અંદરથી કરે છે કારસો, ગંગાસતી

 .

એક રાશિ ને પ્રવાસી બેય એક જ પંથના

પાનબાઈ શો મને પણ જાણશો, ગંગાસતી

 .

શબ્દ છે શીલવંત સાધુ, વારેવારે હું નમું

શીખવે જે જીવવાના સાહસો, ગંગાસતી

 .

ભાગ્યમાં તો એકપણ વીજળીનો ચમકારો નથી

શું કરું મોતીનું ? એ સમજાવશો, ગંગાસતી !

.

( પ્રણવ પંડ્યા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.