મૂલ્ય મારે શ્વાસના કરવા હતા;
ને અજંપા ઊરમાં ભરવા હતા.
.
નાવ કાગળની બનાવીને પછી;
સાગરો કૈં રેતના તરવા હતા.
.
ને પ્રસાદી રૂપે મારે દેવને;
વેદનાના આંસુઓ ધરવા હતા.
.
ટાંકણું એકાંતનું કરવું અને;
યાદના આકારને ઘડવા હતા.
.
અન્યની તો વાત પણ કરવી નથી;
જાત સાથે યુદ્ધ કૈં લડવા હતા.
.
સમજ કેરા ધ્વજને ફરકાવવા;
અણસમજના શિખરો સરવા હતા.
.
( ફિલિપ ક્લાર્ક )