કવિતાનો સૂર્ય – પ્રીતમ લખલાણી

છત પર

લટકતાં ઝુમ્મર વચ્ચે

એક પતંગિયું

બંધ બારીઓ જોઈ જોઈને

વિચારોના દરિયામાં ડૂબી ગયું છે.

કેમ આજ

કારણ વિના નભથી

રિસાયા છે વાદળો !

જો અચાનક મોસમ બદલાઈ તો ?

ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં

ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે

એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે

અને પછી તેની કોઈ ડાળે

ટહુકા વેરતું પંખી

માળો બાંધવા આવી ચઢે તો !

ઘર, ગલી અને ફળિયા વચ્ચેના

વાદળ ઘેરાયેલા આકાશમાં

કવિતાનો

સૂર્ય ઝળહળી ઊઠે !

 .

( પ્રીતમ લખલાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.