મારા વહાલા પ્રભુ,
.
તમે જે આજનો દિવસ બનાવ્યો છે તેનો મને પણ એક અંશ બનાવવા માટે હું તમારી ખૂબ આભારી છું.
.
આજનો દિવસ બીજા કોઈ પણ દિવસ કરતાં જુદો છે અને મને તમે ફરી પાછી એ માણવાની તક આપી તે માટે તમારો હૃદયપૂર્વક આભાર.
.
આજે હું મારી જાતને સંપૂર્ણપણે તમારે હવાલે મૂકું છું.
.
હું આજે શ્રદ્ધા અને આનંદથી તમારી સરભરા કરીશ. મારાં સાંસારિક અને આધ્યાત્મિક કર્મોની લેણદેણનો હિસાબ પૂરો થશે. આજે હું એમાંથી મુક્ત થઈશ એનો કેટલો આનંદ છે !
.
આજના આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે ભયથી, શંકાથી, ગુસ્સાથી, શરમથી, અપરાધની લાગણીથી અને નકારાત્મક વિચારો અને પ્રયોજન વગરનાં કાર્યોથી મુક્તિ પામીશ. એ માટે તમારી ખૂબ આભારી છું.
.
આજનો જે મહાન દિવસ હું જોઈ શકી છું, તમે મારે માટે જે જીવન સર્જ્યું છે તે પારાવાર શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક તમારા ચરણોમાં ધરીશ.
.
શાંતિ, આનંદ, સભરતા, વૈપુલ્ય અને સર્જનાત્મક કાર્યોનું આ જીવન છે.
.
ઈશ્વર આ તમારો દિવસ
.
મારો દિવસ
.
મને આ દિવસ આપવા માટે ખૂબ ખૂબ આભાર પ્રભુ.
.
( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )